ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ એવો આક્ષેપ કર્યોછે કે, રશિયાના પ્રવાસેથી પરત આવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્વાઇન ફલૂના નામે ખોટો તાયફો કરી પ્રજાની લાગણી જીતવાની સાથે સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી કરતાં તો તેમની સાગરખેડુ અને વનબંધુ યોજનાને સ્વાઇન ફલૂ થયો છે.
વસંતપુરા, આનંદ આશ્રમ ખાતે નર્મદા જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોના સ્નેહમિલન સંમેલનમાં પૂર્વ વાધેલાએ સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન બીમાર પડે તો પોતાના નામે કેસ કઢાવી ઇલાજ કરાવતા હોય છે, જયારે મોદીના ઇલાજ માટે રમેશભાઈ પટેલના નામે કઢાવાયેલો રિપોર્ટ હકીકતમાં મુખ્યમંત્રીના નામનો રિપોર્ટ જ નથી. વાધેલાએ ઉમેર્યું કે, સાગરખેડુ અને વનબંધુ યોજના રાજયમાં આગળ ધપશે કે કેમ તેની સામે પણ એક પ્રશ્નાર્થ છે. વાધેલાએ પ્રબુદ્ધ નાગરિક શકિતમંચના નેજા હેઠળ છઠ્ઠી નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી મહારેલીમાં ઉપસ્થિત રહેવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું.
વસંતપુરાના આશ્રમમાં સ્વામી વિયોગાનંદજીનાં સાંનિઘ્યમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં પૂર્વ રાજય રેલમંત્રી નારણભાઈ રાઠવા, નસવાડીના ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, દેડિયાપાડાના ધારાસભ્ય અમરસિંહ વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણિભાઈ વસાવા, યુવા કોંગ્રેસપ્રમુખ હરેશભાઈ વસાવા અને જયંતીભાઈ વસાવા, દિલીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
Name:
Email ID:
Comments:
Code:
.
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.