છેલ્લા કેટલાક સમયથી અસહ્ય મોંઘવારીના બોજા નીચે જીવી રહેલા મધ્યમ વર્ગની આશાઓ પર પાણી ફેરવી દેતા કૃષિ મંત્રી શરદ પવારે આજે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી દેશમાંથી મોંઘવારી ઘટવાના કોઇ અણસાર નથી.
તેનું કારણ આપતા પવારે જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું નિષ્ફળ જવાના કારણે અનાજનું ઉત્પાદન અંદાજ કરતાં ઘણું ઓછું થયું હોવાથી તેના ભાવ ઘટવાની કોઇ શક્યતા નથી. જોકે , ચોમાસાના અંતભાગમાં પ્રમાણમાં સારો વરસાદ થતાં જમીનમાં ભેજનું પ્રમાણ સારૂં રહેવાના કારણે રવિ પાકનું ઉત્પાદન સારૂં થઇ શકે તેમ હોવાથી જ્યારે ત્રણ મહિના પછી બજારમાં નવો પાક આવશે ત્યારે કદાચ ભાવમાં ઘટાડો થઇ શકે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.