કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેશમાં આવનારા દરેક વિદેશી નાગરિક પર નજર રાખવા માટે ઇમીગ્રેશન વીઝા ફોરેન રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ યોજનાને લાગુ કરવા જઇ રહ્યું છે. આ કવાયતનું એક કારણ તાજેતરમાં જ એફબીઆઈ દ્વારા પકડાયેલા ડેવિડ હેડલીનો મામલો પણ છે. ડેવિડે જણાવ્યું હતું કે, તે લશ્કરના ઇશારે ભારતમાં વિનાશક ગતિવિધિઓને અંજામ આપનારો હતો.
૧૬૯ દેશોમાં રહેલા ભારતીય દૂતાવાસોને આઈવીએફઆરટી સાથે જોડવાની સાથે જ દેશમાં રહેલી લગભગ ૮૦ ઇમીગ્રેશન ચેક પોસ્ટોને પણ તેની સાથે સાંકળવામાં આવશે. તેમાં બે ડઝન કરતાં વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દોઢ ડઝન કરતાં વધુ બંદરગાર તથા ત્રણ ડઝન લેન્ડ પોર્ટનો સમાવેશ થાય છે.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.