મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અને અશોક ચવ્હાણ ફરી એક વખત સીએમ પદે બિરાજ્યા છે. પરંતુ શરદ પવારના ભત્રીજાએ એનસીપીને તોડવા માટે સેના અને ભાજપ દ્વારા જે યોજના ઘડવામાં આવી હતી. તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
તેઓએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે બીજેપી અને શિવસેના દ્વારા તેઓને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરવામાં આવી હતી. તેમજ એનસીપીના 30થી 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અજીત પવાર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનવા માંગતા હતા. પંરતુ તેમના સ્થાને છગન ભૂજબળને બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ બીજેપી અને સેના દ્વારા તેમને મુખ્યમંત્રીની ઓફર કરવામાં આવી હોવાનું જણાવી નવો વિવાદ ઉભો કરી રહ્યાં છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.