Divya Bhaskar

 

પોરબંદરની સૌ. કેમી. ફેકટરીના ઘ્વનિ પ્રદૂષણથી લોકો ત્રસ્ત

Bhaskar News, Porbandar
Monday, October 12, 2009 02:16 [IST]
Bookmark and Share

સંચાલકો સેફટી વાલ્વ ફીટ કરશે તેવા આશ્વાસનો આપે છે



પોરબંદરમાં નિરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરીનું વાયુ પ્રદૂષણ કાયમી બની ગયું છે તેમાં વિશેષ ઉમેરો કરીને ઘ્વનિ પ્રદૂષણ પણ શરૂ કરી દેતાં શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ફેકટરીમાં રીપેરીંગ કામ તેમજ નવા પ્લાન્ટ માટે હાલ ચાલી રહેલી કામગીરીમાં ઘરેરાટી કરતો કાન ફાડી નાખે તેવું ઘ્વનિ પ્રદૂષણ છેલ્લા ૧૦ દિવસથી લોકો સહન કરી રહ્યા છે. આ અંગે છાંયા નગરપાલિકાનાં પ્રમુખે જિલ્લા કલેકટરને પત્ર દ્વારા રજૂઆત કરી છે.



આ અંગે છાંયા નગરપાલિકાનાં પ્રમુખ ભોજાભાઇ ખુંટીએ જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવીને એવી રજૂઆત કરી છે કે, નિરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઘરેરાટીભર્યોઅવાજ દિવસભર ચાલુ રહેતો હોય જેનાં લીધે લોકોને કાન પડયે પણ સંભળાતું નથી.



આ અવાજ એટલો તીવ્ર હોય છે કે, મકાનનાં વાસણો પણ ખખડવા લાગે છે.એક તબકકે તો ભૂકંપનો અનુભવ લોકો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કેમીકલ્સ દ્વારા છોડાતા વાયુ પ્રદૂષણને કારણે છાંયાવાસીઓ લાંબા અરસાથી પરેશાન છે.



તેમાં લટકામાં વધુ એક ઘ્વનિનું પ્રદૂષણ મળતાં આ વિસ્તારમાં સ્કૂલ-કોલેજોમાં બાળકો પણ ભયભીત બની જાય છે. ફેકટરીમાં હાલ નવો પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી ચાલુ હોય તેને કારણે ઘ્વનિ પ્રદૂષણ થઇ રહ્યું છે. આ બાબતે ફેકટરીનાં સંચાલકોને તાકીદ કરીને ઘ્વનિ પ્રદૂષણ બંધ કરાવવા પત્રનાં અંતમાં ભોજાભાઇ ખુંટીએ જણાવ્યું હતું.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.