Divya Bhaskar

 

Mumbai

પાક. સ્થિત આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે: ભારત

Agency, Mumbai
Sunday, October 11, 2009 12:26 [IST]
Bookmark and Share

વિદેશ સચિવ નિરૂપમા રાવે જણાવ્યું હતું કે કાબુલમાં ભારતીય દૂતવાસ પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનનો હાથ હોવાના સંકેતથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદ ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે.



ઉલ્લેખનીય છે કે કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા હતા જો કે તેમાં દૂતાવાસના એક પણ સભ્યને ઈજા પહોંચી નહોતી.



નિરૂપમા રાવે જણાવ્યું હતું કે વૈશ્વિક સમુદાય અને અફઘાનિસ્તાન સ્પષ્ટ અને ભંયંકર આતંકવાદી કૃત્યોનો ભોગ બની રહ્યું છે. સીમા પાર આ આતંકવાદ ઉછરી રહ્યો છે. ભારત-અફઘાનિસ્તાનની વધતી જતી મિત્રતાથી હતાશ થયેલા લોકોએ આ કૃત્ય કર્યુ છે.



કાબુલમાં થયેલા હુમલા બાદ રાવ ઘટના સ્થળની મુલાકાત માટે કાબુલ ગયા હતા. જ્યાં તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બાદમાં અફઘાની પ્રમુખ હામિદ કરઝાઈ, વિદેશ મંત્રી રંગીન દફદારને મળ્યા હતા.



nirupama_rao



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.