લોકસભાની ચૂંટણીના ૧૬ એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન વખતે ઝારખંડના લાતેહર જિલ્લામાં થયેલી નકસલી હિંસાના પગલે ટોચના ત્રણ અધિકારીને પદ પરથી હટાવવામાં આવ્યા છે.
સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે લાતેહરના નાયબ કમિશનર સરવેન્દુ તથાગત, નાયબ ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ નંદુપ્રસાદ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હેમંત ટોપ્પોને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તથાગતને પર્સનલ ડિપાર્ટમેન્ટમાં જોડાવા કહેવાયું હતું જયારે નંદુપ્રસાદ અને હેમંત ટોપ્પોને રાજય પોલીસ હેડકવાર્ટરમાં અહેવાલ સોંપવા કહેવાયું છે.
ઉલ્લેખનીય છે કે નકસલવાદીઓએ લાતેહરમાં નકસલવાદીઓએ એક મુસાફર ટે્રનને કબજે લીધી હતી તેમજ અન્ય નકસલી હિંસાઓ થઈ હતી. હિંસાના એક પખવાડિયા બાદ સત્તાધીશોએ આ પગલાં લીધાં છે.
Name:
Email ID:
Comments:
Code: