Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeLiteratureDharma ane Adhyatma Dharma ane Adhyatma

મનની અંદર જે સળવળતું હોય તે પ્રગટ થયા વિના રહેતું નથી

oshoઆ માનવજાત, જે આટલી બધી કામુક દેખાય છે, એની પાછળ કહેવાતાં ધર્મોઅને સંસ્કૃતિનો હાથ છે. એની પાછળ ખરાબ માણસોનો નહીં, સજજનોનો, સંતોનો હાથ છે. માણસજાત સજજનો અને સંતોના આ અનાચારથી જયાં સુધી મુકત નહીં થાય, ત્યાં સુધી પ્રેમના વિકાસની કોઈ સંભાવના નથી.

મને એક ઘટના યાદ આવે છે : એક ફકીર પોતાના મિત્રને મળવા જવા ઘરની બહાર નીકળ્યો, ત્યાં જ તેને એનો બચપણનો કોઈ મિત્ર ઘોડે ચડીને એની પાસે આવતો દેખાયો. ફકીરે કહ્યું : મિત્ર! તમે અહીં રોકાવ. મારે એક મિત્રને મળવા જવું છે.

મેં વચન આપ્યું છે. દુર્ભાગ્યની વાત છે કે તમારી સાથે નિરાંતે બેસીને વાતો કરવાનાં કાયમ સ્વપ્ન જૉતો હતો અને આજે જયારે તમે આવ્યા જ છો ત્યારે બીજે જવાનું છે. કંઈ નહીં, કલાકેકમાં તો પાછો આવી જઈશ. તમે ત્યાં સુધી આરામ કરો.’

મિત્ર બોલ્યો : મને એકલા ચેન નહીં પડે. હું ય તમારી સાથે આવત, પણ મારાં કપડાં મેલાં થયાં છે. તમારી પાસે કોઈ સારી જૉડ હોય તે આપો તો હું ય સાથે આવું.’

કોઈ સમ્રાટે ફકીરને મૂલ્યવાન કોટ, પાઘડી અને ધોતી આપ્યાં હતાં. ફકીરે તે સંભાળીને રાખી મૂકયાં હતાં. ફકીરે તે કપડાં ખુશીથી કાઢીને મિત્રને આપ્યાં. પરંતુ મિત્રે જયારે તે પહેયાô ત્યારે ફકીરને તેની થોડી ઇર્ષા આવી ગઈ. એ કપડાંમાં મિત્ર તો સમ્રાટ જેવો લાગતો હતો. કીમતી કોટ હતો, પાઘડી હતી, ધોતી અને શાનદાર મોજડી હતાં.

એની પાસે પોતે તો કંગાલ નોકર જેવો નોકર લાગતો હતો. ફકીરે વિચાર્યું : જેને મળવા જાઉં છું તે તો આ મિત્રને જ જૉશે. મારા પર તો એનું ઘ્યાન જ નહીં જાય. મારાં જ કપડાંને લીધે હું દીન લાગીશ. આ તો બહુ ખોટું થયું.

ફકીરે મનને તો ઘણુંય મનાવ્યું કે, ભાઈ, હું તો રહ્યો ફકીર, આત્મા-પરમાત્માની વાતો કરનારો. કોટમાં કે પાઘડીમાં શું છે? ભલેને પહેર્યોતેણે! એમાં શો ફેર પડે છે?’ પરંતુ જેમ જેમ એ મનને સમજાવે કે કોટ-પાઘડીમાં શું છે? એમ એમ તેના મનની અંદર કોટ-પાઘડી ઘૂમતાં રહ્યાં.

મિત્ર બીજી વાતો કરવા લાગ્યો પરંતુ એમાં તેનું ચિત્ત નહોતું. તેના ચિત્તમાં તો કોટ અને પાઘડી જ હતાં. રસ્તામાં જે કોઈ મળે તે તેના સામે જૉવાને બદલે મિત્રની સામે જૉતાં. ફકીરને થયું : આજે ભૂલ થઈ ગઈ! અંતે જેને ત્યાં જવું હતું ત્યાં ફકીર અને એનો મિત્ર પહોંરયા. ફકીરે પોતાના મિત્રનો પરિચય આપતાં કહ્યું, મારા બચપણના દોસ્ત છે જમાલ.

બહુ મજાના માણસ છે.’ અને પછી તે બોલી ઊઠયો, રહી ગયાં કપડાં, એ કપડાં મારાં છે.’ કારણ કે જે મિત્રને ધેર ગયા હતા તે મિત્ર પણ તે કપડાં જઈ રહ્યો હતો. અને ફકીરના મનમાં કોટ-પાઘડીનું રટણ ચાલી રહ્યું હતું અને તેમાં તેના મોંમાંથી શબ્દો સરી પડયા કે, કપડાં મારાં છે.’

મિત્ર વિચારમાં પડી ગયો. મિત્રનો પરિવાર પણ વિચારમાં પડી ગયો કે, આ તે કેવું ગાંડપણ! ફકીરને પોતાને પણ ખ્યાલ આવી ગયો કે બફાઈ ગયું! ફકીર ઘણો પસ્તાયો. એણે પછી તો મિત્રની માફી પણ માંગી. મિત્રને પણ આશ્ચર્ય તો થયું જ. ફકીરે કહ્યું : જીભ છે. ભૂલ થઈ ગઈ.’ અને હકીકતમાં ભૂલ જીભથી થતી જ નથી. મનની અંદર જે સળવળતું હોય છે તે પ્રગટ થયા વિના રહેતું નથી... પણ વાત પતી ગઈ.

ફકીર અને તેનો મિત્ર બીજા મિત્રને ત્યાં પહોંરયા. ફકીરે આ વખતે વસ્ત્ર વિશે કંઈ ન બોલાય એ માટે ભારે ચીવટ રાખી હતી. ઘરના દરવાજા પાસે જ ¼ઢ સંકલ્પ કર્યોકે શ્નકપડાં મારાં છે’ એ વાત જ કરવાની નથી. પણ એ બિચારાને ખબર નહોતી કે આ વાતનો જેટલો ¼ઢ સંકલ્પ કરે, એ ¼ઢ સંકલ્પ જ ઇંગિત કરે છે કે શ્નઆ કપડાં મારાં છે’નો ભાવ મનમાં ઘર કરી ગયો છે. (ક્રમશ:)સંભોગથી સમાધિ સુધી’ પુસ્તકમાંથી



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: